રાજકોટ
News of Monday, 16th July 2018

કોંગ્રેસ દ્વારા જગન્નાથજી રથયાત્રાનું સ્વાગત

 શહેર કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા સ્વાગતનો કાર્યક્રમ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની આગેવાનીમાં વોર્ડ નં. ૧૩ સ્વામીનારાયણ ચોક ખાતે યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહેલ. વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, વોર્ડ નં. ૭ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, રવજીભાઈ ખીમસુરીયા, કેયુર મસરાણી, નીતિન રામાણી, છગનભાઈ ચાવડા, ગોવિંદભાઈ ચાવડા, નરસીભાઈ ડોડીયા, હરેશ ડોડીયા, દિવ્યેશ બારડ, હેમલ પેશીવાડીયા, કમલેશ કોઠીવાર, રમેશ ડૈયા, રણજીતસિંહ જાદવ, સરલાબેન પડોલીયા, પ્રવિણ મૈયડ, હિરલબા રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ, શાંતાબેન નાનજીભાઈ ડવેરા, અશ્વિન બકુત્રા, સ્વામીનારાયણ ચોક વેપારી એસો.ના તમામ વેપારીઓ અને લતાવાસીઓ સ્વાગતમાં સાથે જોડાયા હતા. વોર્ડ નં. ૧૩ની ટીમ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ.(૨-૧૬)

(4:05 pm IST)