ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિયુકત ઉમેશભાઇ ધામેચાનું સમસ્ત દરજી સમાજ દ્વારા સન્માન
રાજકોટ : શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે ઉમેશકુમાર ધામેચા (જેપી)ની નિમણુંક કરાતા સમસ્ત દરજી સમાજ રાજકોટના હોેદેદારો તથા કમીટી મેમ્બરોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી. કોરોના ગાઇડ લાઇન મુજબ આ કાર્યક્રમ સાંસ્કૃતિક કમીટીના પ્રમુખ ભરતભાઇ દુદકીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. અધ્યક્ષ વિનુભાઇ પીઠડીયા તથા સ્થાપક વડીલ તનસુખભાઇ ગોહેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહનું સંચાલન અને પ્રાસંગીક પ્રવચન ભરતભાઇ દુદકીયા, સંસ્કૃતિ સેલના પ્રમુખ, સુરેશભાઇ મકવાણા, નિરંજનભાઇ સોલંકી, તનસુખભાઇ ગોહેલ , અધ્યક્ષ વિનુભાઇ પીઠડીયાએ કરેલ. સમાજના અગ્રણીઓ મધુભાઇ પરમાર, દીપકભાઇ પીઠડીયા, કલ્પેશભાઇ ગોહેલ, રણજીતભાઇ પીઠડીયા, મિલાપભાઇ ચાવડા, જીતુભાઇ પરમાર, યોગેશભાઇ પીઠડીયા, હરીશભાઇ જંગબારી, કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ અને બક્ષીપંચ સમાજને કયાં ઉપયોગી થઇ શકાય તે અંગે ચર્ચા કરેલ. આ તકે ઉમેશભાઇ ધામેચાને સ્મૃતિ ચિન્હ તથા શ્રી ભગતજી મહારાજનું કટ આઉટ આપી તથા ફુલહાર કરી બહુમાન કરાયુ હતુ. જેના પ્રતિભાવમાં ઉમેશભાઇએ બક્ષીપંચ સમાજને લગતી કોઇપણ કામગીરી માટે હંમેશા તત્પર રહેવાની ખાત્રી ઉચ્ચારી હતી.