મહારાણા પ્રતાપની જયંતિએ રાજપૂત કરણી સેના દ્વારા રેલી
રાજકોટ : આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ જોડાયા હતા. આયોજનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટના ચંદુભા પરમાર, સાધુ શ્રી જયરામદાસબાપુ, જોગેન્દ્રસિંહ ચંપાવત, દિપકભા કાઠી, બહાદુરભાઈ માંજરીયા, પ્રતાપભાઈ ભગત, મનોજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, યુવરાજસિંહ ડોડીયા, હિતુભા ડોડીયા, ભગીભા ખુમાણ, શૈલેન્દ્રસિંહ પરમાર, જયદીપસિંહ ભટ્ટી, જયદીપસિંહ ડોડીયા, જયદીપસિંહ દેવડા, અજયસિંહ પરમાર, કિશોરસિંહ રાઠોડ, યોગીરાજસિંહ તલાટીયા, જગમાલસિંહ હેરમા, રમેશસિંહ જાદવ, જીનાભા ચાવડા, સંજયસિંહ વાઘેલા, ભરતસિંહ ચુડાસમા, ભાવેશસિંહ મહીયા અને ભાવેશસિંહ મારૂ રાજપૂત જોડાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)