રાજકોટ
News of Monday, 16th May 2022

રાજકોટ અને અમરેલીના લોકો કરશે જિંદગીને વેલકમ

દિગ્‍દર્શક અને અભિનેતા સૌમ્‍ય જોશીનું માણવા જેવું નાટક ‘વેલકમ જિંદગી' રજુ થશે

રાજકોટઃ આગામી તાઃ ૨૧મી મે શનિવારનાં રોજ દિલીપ સંઘાણી હોલ, અમરેલી અને તા.૨૨મી મે, રવિવારનાં રોજ હેમુ ગઢવી નાટય ગૃહ હોલ ખાતે ‘ધ શંકરા' લાવી રહ્યુ છે એક સુંદર નાટક ‘‘વેલકમ જિંદગી'',જેના લેખક-દિગ્‍દર્શક ઉપરાંત મુખ્‍ય અભિનેતા છે.

ગુજરાતી ફિલ્‍મ હેલ્લારો ગીતકાર, ફિલ્‍મ ૧૦ર નોટ આઉટ તથા અમે બધા સાથે તો દુનિયા લઇએ માથે, અહીં એક નગર વસ્‍તુ હું અને પાડાની પોળ જેવા નાટકનાં લેખક દિગ્‍દર્શક સૌમ્‍ય જોષી એમની સાથે અભિનય બેંકર જેઓએ નવાઝુદીન સીદીકી સાથે ફિલ્‍મ મંટોમાં અભિનય કરેલ છે. બીજી અનેક ગુજરાતી ફિલ્‍મો રેવા, મિજાજ, શુભારંભ વગેરેમાં કામ કર્યું છે. તેઓ પણ એક અદ્‌ભુત પાત્ર કરે છે અને ત્રીજી વ્‍યકિત છે જીજ્ઞા વ્‍યાસ કે જેઓએ આજ જાને કી જીદ ના કરો અને પાડાની પોળ જેવા નાટકોમાં અભિનયથી સદાય પ્રેક્ષકોનું દિલ જીત્‍યુ છે અને આ નાટકમાં પણ તેમનું પાત્ર દર્શકોના મન પર એક અમીટ છાપ છોડે છે અને આ નાટકને યાદગાર બનાવવામાં સૌથી અગત્‍યનુંબની રહે છે.

આ નાટકના વિશ્વભરમાં કુલ ૭૦૦થી વધુ પ્રયોગ થઇ ચૂકયા છે. અને અમરેલી, રાજકોટ અને વિદ્યાનગરમાં ગઢલ ગલી, અદ્વિતિયમ, ગુલમહોર, રંગત્‍વ ૨૦૧૪-૧૫ જેવા અનેક સફળ આયોજન આપનાર ગ્રુપ ધ શંકરા લાવી રહ્યુૅ છે,જેમનું સૂત્ર છે ઇદમ કલાયૈ સ્‍વાહા. આ ગ્રુપના દરેક મેમ્‍બર કલાને યજ્ઞ ગણીને સતત કાર્યશીલ રહેતા હોવાનું યાદીમાં જણાવાયુ છે.

બંને શો માટે ટિકિટનું બુકીંગ ૮૮૬૬૨ ૮૬૩૯૬ અને ૯૦૯૯૯ ૫૦૬૯૮ નંબર પર વ્‍હોટસેપ વડે થઇ શકે છે. જ્ઞાતિ, સંસ્‍થાઓ, મંડળો અને કલબ માટે બલ્‍ક બુકીંગની સુવિધા પણ ઉપલબ્‍ધ છે ત્‍યારે અમરેલી  અને રાજકોટના લોકોને ગરમીમાં ટાઢક આપતું આ નાટક નિહાળવા અનુરોધ કરાયો છે.

(4:07 pm IST)