રાજકોટ
News of Monday, 16th May 2022

લક્ષ્મીનગરના યુવક જીજ્ઞેશ આંબલીયાનોે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

રાજકોટ, તા., ૧૬: લક્ષ્મીનગરના યુવાનનું ટ્રેન નીચે ઝંંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીનગર શેરી નં. ૪ માં રહેતા જીજ્ઞેશ અમરશીભાઇ આંબલીયા (ઉ.વ.૩પ) ગઇકાલે સવારે પીડીએમ કોલેજ પાસે રેલ્વેના પાટામાં ટ્રેન નીચે ઝંપલાવતા ગંભીર ઇજા થતા જીજ્ઞેશને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પીટલે ખસેડાયેલ પણ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:07 pm IST)