કાલાવડના જુવાનપર ગામે હાર્ટએટેકથી રાજકોટ કોર્પોરેશનના કર્મચારીનું મોત
પરસોત્તમભાઇ વેરાયા પુત્ર સાથે જુવાનપર દર્શન કરવા ગયા'તા
રાજકોટ તા.૧૬: કાલાવડના જુવાનપર ગામે પુત્ર સાથે દર્શન કરવા ગયેલા રાજકોટ કોર્પોરેશનના કર્મચારીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું
મળતી વિગત મુજબ સોમનાથ સોસાયટી શેરી નં.૩ માં રહેતા અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં વોટર વર્કસ શાખામાં ફીટર તરીકે નોકરી કરતા પરસોત્તમભાઇ નરસીભાઇ વેરાયા (ઉ.વ.૫૮) તેના પુત્ર વેનીશ સાથે કાલાવડના જુવાનપર ગામે દર્શન કરવા માટે ગયા હતા. બાદ ગામમાં રહેતા કાકા કરશનભાઇ વેરાયાના ઘરે હતા. ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને તાકીદે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક પરસોત્તમભાઇ પાંચ બહેન અને બે ભાઇમાં મોટા હતા. તેમના નાના ભાઇ વલ્લભભાઇ સમાચાર સાંભળી અવાચક બની ગયા હતા. અંગે કાલાવડ પોલીસે કાર્યવાહી કરી હતી. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.