રાજકોટ
News of Thursday, 16th May 2019

થેલેસેમીયા પીડીત બાળકોને થતી મુશ્કેલી અંગે રજુઆત

રાજકોટઃ વિવેકાનંદ યુથ કલબ દ્વારા સંચાલીત થેલેસેમિયા જન- જાગૃતિ અભિયાન સમિતિનાં અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી ગુજરાત વિદ્યાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીને થેલેસેમિયા પીડિત બાળકોની વેદના, લાચારી અને મુશ્કેલીઓ વિશે જાણ કરેલ તથા આ બાબત ગુજરાતનાં થેલેસેમિયા પીડીત બાળકો માટે જે કોઈ જરૂરિયાત હોય જેવી કે દવા, ઈંજેકશન તથા એસ.ટી.બસમાં બલ્ડ ટ્રાન્સફયુઝન કરવા માટે આવવા- જવા માટે ભાડા માફી વગેરે રજૂઆત કરી હતી. મુલાકાતમાં ''દીકરાનાં ઘર'' વૃધ્ધાશ્રમ સ્થાપક મૂકેશભાઈ દોશી સાથે રહ્યા હતા.(

(4:02 pm IST)