રાજકોટ
News of Thursday, 16th May 2019

સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આશ્રમના ૭૪ માં સ્થાપના દિવસની ઉજવણી

રાજકોટ : સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ દ્વારા સ્થાપિત આશ્રમનો ૭૪ માં વર્ષમાં પ્રવેશ થતા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. સવારે સદ્દગુરૂ સદ્દગન ટ્રસ્ટ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોકટર્સ સ્ટાફ તથા ગુરૂ ભાઇ બહેનો દ્વારા ગુરૂદેવની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહજી અને શ્રી મહારાણી કાદમ્બરીદેવી, ડો. અતુલ બદીયાણી, ડો. રમેશ સોલંકી, ડો. એસ. કે. સિંઘ, ડો. ગીરીશ કીલડીયા, ડો. હેતલ બખાઇ, ડો. અમરપ્રિતકોર, ડો. પાર્થ સતાણી, ડો. કલ્પેશ ખુંટ, ડો. ગઢવી, સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. આગામી વર્ષ ૨૦૧૯-૨૦૨૦ સુધીમાં ૭ર હજાર મોતીયાના ફ્રી ઓપરેશન કરવાના લક્ષ્યાંક સાથે ગુરૂદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા રાજયના ગ્રામીણ તથા શહેરી વિસ્તારના ગરીબ તથા જરૂરીયાતમંદ દર્દીઓ માટે વિનામુલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૫૨,૨૫૫ ફ્રી મોતીયાના ઓપરેશનો કરાયા. આશ્રમના સ્થાપના દિવસ નિમિતે સવારે સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ, શ્રી હનુમાન બાહુકના પાઠ, ૧૦૮ હનુમાનચાલીસાના પાઠ કરાયા હતા. સાંજે સદ્દગુરૂ આશ્રમને દીવડાની રોશનીથી ઝગમગતુ કરાયુ હતુ.

(4:00 pm IST)