ગોંડલમાં નાણા રોકાણ અંગે સેમીનાર
ગ્રામ્ય નાણા રોકાણકારોને જાગૃત કરવા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને સેબી દ્વારા એક સેમીનાર ગોઠવવામાં આવ્યો હતો. ન્યાયમુર્તિ એન. એમ. ધારાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ સેમીનારમાં શેર બજાર પ્રવકતા પ્રો. વિરલભાઇ પીપળીયા, સ્ટોક એકસચેન્જના પૂર્વ સી.ઇ.ઓ. અશોકભાઇ કોયાણી, શ્રીમતી રમાબેન માવાણી, કંપની સેક્રેટરી કુ. પૂર્વીબેન દવે, નગરપાલીકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, માર્કેટીંગ યાર્ડ ગોંડલ પ્રમુખ ગોપાલભાઇ શીંગાળા, ખોડલધામ પંચ ગોંડલના શ્રીમતી ભાવનાબેન ગજેરા, ગ્રા.સુ.મંડળના પ્રમુખ પોપટભાઇ પટોડીયા, ઉપપ્રમુખ લીંબાભાઇ પદમાણી, સેક્રેટરી રાજુભાઇ ભાદાણીેએ ઉપસ્થિત રહી માર્ગદર્શક પ્રવચન કરેલ. નયનાબેન ધામેલીયા, ડો. રવિદર્શન વૈદ્ય, ડો. વસંતભાઇ ગજેરા, કાર્તિકભાઇ બાવીસી, અશોકભાઇ કોયાણી વગેરે ઉપસ્થિત રહેલ.