રાજકોટ
News of Thursday, 16th May 2019

કુબલીયાપરામાં ઘરમાં બલ્બ ચડાવતી વખતે કરંટ લાગતાં કરણનો જીવ ગયો

રાજકોટ તા. ૧૬: કુબલીયાપરામાં રહેતો કરણ દેવશીભાઇ સોલંકી (ઉ.૨૫) સવારે અગિયારેક વાગ્યે ઘરમાં બલ્બ ચડાવતો હતો ત્યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કરણ એક બહેનથી મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:46 pm IST)