રાજકોટ
News of Thursday, 16th May 2019

નવાગામ આણંદપરમાં રામાપીર મંદિરના લાભાર્થે શનિવારે લોકડાયરો અને રકતદાન કેમ્પ યોજાશે

અલ્પાબેન પટેલ, ખીમજીભાઇ ભરવાડ, ભાનુભાઇ ડાંગર જમાવટ કરશે : સૈનિક સમર્થન ગ્રુપનું આયોજન

રાજકોટ તા. ૧૬ : નવાગામ આણંદપર ખાતે આવેલ દેવનગરખા ઢોરા વિસ્તારના રામાપીરના મંદિરના લાભાર્થે સૈનિક સમર્થન ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરો અને રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સૈનિક સમર્થન ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે રામાપીર મંદિરના લાભાર્થે  આયોજીત આ કાર્યક્રમોમાં તા. ૧૮ ના શનિવારે સાંજે પ થી ૧૦ વાગ્યા સુધી રકતદાન કેમ્પ તેમજ સાંજે ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી મહાપ્રસાદ રાખેલ છે. રકતદાન કેમ્પમાં એકત્ર રકત ગરીબ દર્દીઓ માટે અર્પણ કરાશે. મહાપ્રસાદમાં દસેક હજાર લોકો લાભ લ્યે તેવી તૈયારીઓ કરાઇ છે.

જયારે રાત્રે ૯ વાગ્યે અમદાવાદ હાઇવે, સૌરાષ્ટ્ર પેપર મીલની સામે, ઓડીના શોરૂમની બાજુમાં લાડવાની વાડી ખાતે લોકડાયરો યોજાશે. જેમાં અલ્પાબેન પટેલ, ખીમજીભાઇ ભરવાડ, લોકસાહિત્યકાર ભાનુભાઇ ડાંગર જમાવટ કરશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૈનિક સમર્થન ગ્રુપના રમેશભાઇ લુણાગરીયા (મો.૮૩૨૦૦ ૭૭૧૪૨), અલખધણી રામા મંડળના સભ્ય રાજુભાઇ પરમાર, પ્રકાશભાઇ બોરીચા, લાલજીભાઇ રાવળ, અશ્વિનભાઇ સોરાણી જહેમત ઉઠાવી રહ્યા છે. શુભેચ્છક તરીકે નવાગામ ગ્રામ પંચાયતના જગાભાઇ ભરવાડ અને નિર્મળભાઇ આહીર સાથે રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લખનભાઇ બાબરીયા, પ્રકાશભાઇ બોરીચા, નિર્મળભાઇ કુવાડીયા, રમેશભાઇ લુણાગરીયા, કેવીનભાઇ ઠુમ્મર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:43 pm IST)