રાજકોટ
News of Thursday, 16th May 2019

કોર્પોરેશન કચેરીએ ધક્કા બંધ...

જન્મ-મૃત્યુ-લગ્ન નોંધનાં દાખલા વોર્ડ ઓફીસેથી મળશે

અરજદારોને આ દાખલાઓ માટે કોર્પોરેશન કચેરી-સીવીક સેન્ટરથી મળતાઃ હવે ૭ થી ૧પ દિ' બાદ વોર્ડ ઓફીસેથી પ્રમાણપત્ર ઉપલબ્ધ

રાજકોટ તા.૧પ :.. નાગરીકોને જન્મઅને મૃત્યુ નોંધનાદાખલા કાઢવામાં ધરમ ધક્કા થઇ રહયાની ફરીયાદો રોજીંદી બની રહી છે ત્યારે મ્યુ. કોર્પો. દ્વારા આગામી ટુંક સમયમાં નાગરીકો  પોતાની જાતે જ પોતાના સગા-સ્નેહીઓના જન્મ અને મૃત્યુ  અને લગ્ન નોંધના દાખલાઓ વોર્ડ ઓફીસેની મળશે તેવી જાહેરાત મ્યુ. કોર્પોરેશન દ્વારા સતાવાર કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનના સતાવાર  પ્રાપ્ત માહીતી મુજબ હાલમાં અરજદારે કોર્પોરેશનની એક માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં લાંબી લાઇનમાં કલાકો સુધી ઉભા રહીને જન્મ-મૃત્યુ નોંધના દાખલા મેળવવા પડે છે અને કેટલીક વખત અરજદારોને ધરમધક્કા થાય છે. ત્યારે આગામી ટુંક સમયમાં મ્યુ. કોર્પોરેશનની ત્રણેય ઝોન ઓફીસો ઉપરાંત અન્ય  સિવિક સેન્ટરો અને વોર્ડ ઓફીસોમાં જન્મ અને મૃત્યુ  અને લન નોંધના દાખલાઓ મળશે.

(3:54 pm IST)