રાજકોટ
News of Wednesday, 15th May 2019

આવતા રવિવારે જૂના ગીતોનો કાર્યક્રમ

નિનાદ ગ્રુપ દ્વારા આયોજન : છ ગાયકો ગીતો રજૂ કરશે : ફ્રી એન્ટ્રી

રાજકોટ તા.૧૫ : સંગીત પીરસતી સંસ્થા નિનાદ સંગીત કલબ દ્વારા આગામી તા.૧૯ના રવિવારે સાંજે ૬-૩૦ વાગ્યાથી રોટરી કલબ (કોઠારી લેબની બાજુમાં, વિદ્યાનગર મેઇનરોડ) ખાતે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ગાયકો સર્વશ્રી ચેતન રાવલ, મયુર શુકલ, હર્ષદ જોશી, ભૂમી પટેલ, દિનેશભાઇ શુકલ અને ભગવતીપ્રસાદ પંડયા ૩૦ જેટલા જૂના ગીતો રજૂ કરશે.

સ્વ.ભદ્રાયુ ધોળકીયા, સંજીવ ઉપાધ્યાયે આ સંસ્થાનો પાયો નાખેલો. સંસ્થાનો આશય બાળગીતોની શિબિર કરીને બાળકોને સંગીત પ્રત્યેનો પ્રેમ પ્રસ્થાપીત કરવાનો હતો.

નિનાદ સંગીત કલબ દ્વારા જીમમાં શારીરીક ફીટનેશ સાથે ફકત જૂના ફિલ્મી ગીત સંગીત દ્વારા માનસીક ફીટનેશ પીરસવામાં આવે છે. સંસ્થાના કો-ઓર્ડીનેટર ગીતા રાવલ સેવા આપે છે.

નિઃશુલ્ક કાર્યક્રમના પ્રવેશ પાસ મેળવવા તેમજ વધુ માહિતી માટે ચેતન રાવલનો મો. ૯૪૨૬૭ ૮૫૩૬૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)