રાજકોટ
News of Wednesday, 15th May 2019

શ્રધ્ધાપાર્ક અને મહંમદીબાગ સોસાયટીમાં બે પ્રૌઢનું બેભાન થયા બાદ મોત

રાજકોટ તા ૧૫  :  આહીર ચોક પાસે શ્રધ્ધાપાર્કમાં અને ગોંડલ રોડ પર મહંમદીબાગ સોસાયટીમાં બે પ્રૌઢ બેભાન થયા બાદ બંનેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આહીર ચોક પાસે શ્રધ્ધા પાર્ક શેરી નં. ૧માં રહેતા રસીકભાઇ બચુભાઇ પરમાર (ઉ.વ.૫૫) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા જાણ કરતા ૧૦૮ ઇએમટી ધીરૂભાઇ આહીરે તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ જાડેજાએ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર પરીન ફર્નીચર પાસે મહંમદી બાગ સોસાયટીમાં શેરી નં-૩ માં રહેતા ઇકબાલભાઇ હાસમભાઇ ગુંગા (ઉ.વ.૫૮) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં  તેનું  સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગ ેતાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:25 pm IST)