રાજકોટ
News of Wednesday, 15th May 2019

માનવતાનો સાદ : શુક્રવારે ભાવનગરમાં 'હાસ્ય મંથન'

'અંકુર' સંસ્થાના મનોક્ષતિગ્રસ્ત બાળકો માટે સાંઇરામ દવેનો ચેરીટી શો

રાજકોટ : ભાવનગરમાં આવેલ મંદબુધ્ધિના બાળકોની સંસ્થા 'અંકુર' ના લાભાર્થે જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવેનો ચેરીટી શો આગામી તા. ૧૭ ના શનિવારે સાંજે ઇસ્કોન કલબ ભાવનગર ખાતે યોજાયો છે. 'હાસ્ય મંથન' શીર્ષકતળે આયોજીત આ કાર્યક્રમના માધ્યમથી માનવતાનો સાદ કરવામાં આવશે. સંસ્થામાં અભ્યાસ કરતા ૧૮૦ બાળકોના લાભાર્થે આ સમગ્ર આયોજન થયુ છે. માનવતાવાદીઓ અને દાતાઓએ વધુ વિગત માટે સંસ્થાના મો.૮૨૩૮૯ ૯૯૦૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.  મદદરૂપ બનવા ઇચ્છુકોએ 'અંકુર સ્પેશ્યલ સ્કુલ ફોર મેન્ટલી રીટાયર્ડ ચિલ્ડ્રન' ના નામથી ચેક કે ડ્રાફટ મોકલવા અનુરોધ કરાયો છે. ભોળા ભુલકાઓના લાભાર્થે આયોજીત આ કાર્યક્રમને લઇને ભાવનગરમાં અનેરી તૈયારીઓ આદરવામાં આવી છે. વધુને વધુ લોકોએ કાર્યક્રમ માણવા અને માનવતાનો સાદ જીલવા સાંઇરામ દવેએ અપીલ કરી છે.

(2:06 pm IST)