બાળકોની કલાકૃતિ નિહાળતા કાદંબરીદેવીજી
સુજનભારતી કલ્ચરલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા રોજરી હાઇસ્કુલ ખાતે ગુરૂશ્રી રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના રાજવી પરિવારના મહારાણી અ.સૌ.શ્રીમતિ કાદંબરીદેવી જાડેજા હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ચિત્રકલા, નૃત્યકલા, કાવ્ય તથા વકતૃત્વની પ્રસ્તુતિ કરાઇ હતી. મહારાણી સાહેબજી દ્વારા ભાગ લેનાર બાળકોને પ્રશસ્તી પત્રો અપાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષતા શ્રીમતિ રાજેશ્વરી શાહ સંસ્થા પ્રમુખે કરી. ઉપપ્રમુખ શ્રીમતિ સોમાબેન ધોળકિયા તથા શ્રીમતિ ભાવનાબેન વાગડિયાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના બાલવિભાગના પ્રમુખ કુ. પવિત્રા બોળકિયા તથા તવિશા આડેસરા દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ હિનાબેન માંડલિયા દ્રારા કરવામાં આવી હતી.