News of Wednesday, 16th May 2018
દાણાપીઠ વિસ્તારમાં સફાઇમાં ધાંધીયા-કચરાના ઢગલા
રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૩ માં આવેલ દાણાપીઠ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સફાઇ ન થવાના કારણે કચરાના ઢગલા ઠેર-ઠેર જોવા મળી રહયા છે. તાત્કાલીક ઉકેલવા દાણાપીઠના બીપીનભાઇ કેસરીયા, તરૂણભાઇ વાઘવાણી તથા મહેશભાઇ મહેતા સહીતના વેપારી અગ્રણીઓ દ્વારા મેયર ડો.જૈમન ઉપાધ્યાયને રજુઆત કરી છે.
(4:19 pm IST)