News of Friday, 16th April 2021
આજીડેમ ચોકડી ખાતે પોલીસ તંત્ર દ્વારા રાત્રી કરફ્યુંનું અમલીકરણ કડક કરાયું
પોલીસ અધીકારીઓનું સચોટ માર્ગદર્શન
રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મિણા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પૂર્વ વિભાગ એચ.એલ.રાઠોડ નાઓની અધ્યક્ષતામાં આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.ચાવડા અને આજીડેમ પો સ્ટે સ્ટાફ તથા થોરાળા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.કાતરીયા અને થોરાળા પો સ્ટે સ્ટાફ દ્વારા આજીડેમ ચોકડી ખાતે રાત્રી કરફ્યુનું કડક અમલીકરણ કરાવવામા આવેલ છે.
(10:03 pm IST)