News of Friday, 16th April 2021
રસીના બે ડોઝ લીધા બાદ ઓર્થોપેડીક સર્જન ડો. હિરેન કોઠારી સંક્રમિત થયા
પત્ની અને માતા પણ પોઝીટીવઃ હોમ આઈસોલેશન
રાજકોટ, તા. ૧૬ :. કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્ના છે. રાજકોટમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ બહાર આવી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવાર કરતા અનેક મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ ખૂબ કોવિડ-૧૯થી સંક્રમીત થઈ રહ્યા છે.
આજે શહેરની શિવ ઓર્થોપેડીક હોસ્પીટલના સીનીયર સર્જન ડો. હિરેન કોઠારી સંક્રમીત થતા ચિંતાની લાગણી ફેલાય છે. ડો. હિરેન કોઠારીઍ કોવિડ-૧૯ની રસીના બે ડોઝ લીધા છતાં કોરોનાથી સંક્રમીત થતા તબીબી આલમમાં પણ આશ્ચર્ય સર્જાયુ છે.
ડો. હિરેનભાઈ કોઠારી સાથે તેમના પત્નિ તેજલબેન અને માતા પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
(4:32 pm IST)