રાજકોટ
News of Friday, 16th April 2021

પ્રદ્યુમનનગર વીજ સબ ડિવીઝનના ઇજનેર ભરવાડને કોરોના ડે. ઇજનેર પણ હોમ કોરોન્ટાઇન

રાજકોટ તા. ૧૬: રાજકોટ વીજ ખાતાના એક પછી એક કર્મચારી-અધીકારીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે, આજે વધુ એક ઇજનેરને કોરોના વળગ્યો છે.

પ્રધ્યુમનનગર વીજ સબ ડિવીઝનના જુનિયર ઇજનેર શ્રી ભરવાડને કોરોના વળગતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા છે, તો ડે. ઇજનેર શ્રી કંડોરીયાના ધર્મપત્નીને પણ કોરોના જાહેર થતા તેઓ પણ હોમ કોરોન્ટાઇન હોય આખું સબ ડિવીઝન માત્ર લાઇન સ્ટાફ ઉપર ચાલી રહ્યું છે.

(4:09 pm IST)