વોર્ડ નં. ૧ના વિવિધ વિસ્તારોમાં ભર ઉનાળા પહેલા પાણીનો પ્રશ્ન હલ
નાગેશ્વર, ઘંટેશ્વર, અજમેરા, સૈનિક સોસાયટી સહિતના વિસ્તારોમાં આજથી ટાંકા મારફત પાણી વિતરણ ચાલુઃ કોર્પોરેટરોના પ્રયાસો સફળ
રાજકોટ તા. ૧૬: શહેરના વોર્ડ નં. ૧ ના નાગેશ્વર, ઘંટેશ્વર, અજમેરા, સૈનિક સોસાયટી સહિતના વિસ્તારોમાં કોર્પોરેટર હિરેન ખીમાણીયા તથા ડો. અલ્પેશભાઇ મોરઝરીયાનાં પ્રયાસોથી વર્ષો જુના પાણીનો પ્રશ્ન હલ થયો હતો.
નાગેશ્વર, ઘંટેશ્વર, અજમેરા, સૈનિક સોસાયટી વિસ્તારમાં વર્ષો જુનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતા આજની આ સમગ્ર વિસ્તારમાં પાણીના ટાંકા ચાલુ કરવામાં આવ્યા હતા. આ તકે વોર્ડ નં. ૧નાં કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા અને ડો. અલ્પેશભાઇ મોરજરીયા સાથે વોર્ડનાં પ્રમુખ હિતેષભાઇ મારૂ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાનાભાઇ સતવરા, શિક્ષણ સમિતિ સભ્ય તેજસભાઇ ત્રિવેદી, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, લલીતભાઇ વાડોલીયા, જયદીપસિંહ જાડેજા, રામદેવભાઇ આહિર, પરેશભાઇ સખીયા, નાગજીભાઇ વરૂ, વિરાભાઇ હુંબલ, મીરાબેન વોરા, અશોકસિંહ જાડેજા, ભાવિનભાઇ ચોટલીયા, દીગેશભાઇ વાઘેલા અને વિરાગભાઇ જોષી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.