રાજકોટ
News of Friday, 16th April 2021

સિવિલ કોવિડમાં મૃત્યુ પામનાર વૃધ્ધાના સ્વજનો મળતાં નથી

તસ્વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી હોય તો તુરંત સંપર્ક કરે

રાજકોટ તા. ૧૬: સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં દાખલ થયેલા એક મહિલાનું ૧૩/૪ રાત્રે મૃત્યુ થયું છે. પરંતુ તેમના સગા સંબંધીનો સંપર્ક થઇ શકતો નથી. હોસ્પિટલ તંત્રવાહકો કેસ પેપરમાં લખાવાયેલા ફોન નંબર પર સંપર્ક કરે છે પરંતુ કોન્ટેકટ થતો નથી. આ મહિલા દર્દીનું નામ મોનીકાબેન અમૃતલાલ ખખ્ખર કેસમાં લખાવાયું છે અને ઉમર ૭૮ વર્ષ છે. સગા મળતાં ન હોવાથી અંતિમવિધી અટકી પડી છે. તસ્વીરમાં દેખાતાં વૃધ્ધાના સગા હોય તો સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં તુરંત સંપર્ક કરવા આરએમઓ ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યું છે.

(1:01 pm IST)