રાજકોટ
News of Tuesday, 16th April 2019

કાલે સ્‍મૃતિ ઈરાની રાજકોટમાં : ઉપલાકાંઠે જાહેર સભાને સંબોધશે

રાજકોટ, તા. ૧૬ : ભાજપના ચૂંટણી પ્રચાર પ્રસાર ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્‍યારે રાજકોટ લોકસભા બેઠક ભાજપ ના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઇરાની આવતીકાલે બુધવાર તા.૧૭ ને સાંજે ૮:૧૫ કલાકે પાણીના ઘોડા પાસે, પેડક રોડ રાજકોટ ખાતે ઉપસ્‍થિત રહેશે.

યુ.પીના અમેઠીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ સામે ચૂંટણી લડી રહેલા કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાની ગુજરાત સાથે આત્‍મીય સંબંધ ધરાવે છે તેથી અત્‍યંત વ્‍યસ્‍તતાઓ ની વચ્‍ચે પણ પક્ષ ના ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવી રહ્યાનું એક યાદીમાં જણાવાયું છે.

 

(4:22 pm IST)