જીવનનગરમાં રામનવમીની ઉજવણી
જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે મહાદેવધામમાં રામનવમી નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયેલ. દિપમાલા, મહાઆરતી, હિંડોળા દર્શનનો ભાવિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. સવારે રામ લલ્લાની પ્રભાતફેરી અને બપોરે મહાઆરતી ઉતારવામાં આવી હતી. સુંદરકાંડ પાઠ, સામુહીક રામનું ગુણાનુવાદ રાખવામાં આવેલ. સમગ્ર આયોજન માટે મંદિરના પૂજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ, સમિતિના નવીનભાઇ પુરોહિત, કેતનભાઇ મકવાણા, પાર્થ ગોહેલ, ડો. તેજસ ચોકસી, મુકેશભાઇ પોપટ, વિજયભાઇ જોબનપુત્રા, વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, ગોવિંદભાઇ ગોહેલ મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, આશાબેન મજેઠીયા, જયોતિબેન પુજારા, દક્ષાબેન મહેતા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.