રાજકોટ
News of Tuesday, 16th April 2019

મોહનભાઈનો લોકો સાથે સીધો સંપર્ક : જનસંપર્ક અભિયાન

રાજકોટ : લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જનસંપર્કનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. આ અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી મોહનભાઈ કંુડારીયા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નં.૧૪માં ગીતા મંદિર તેમજ શ્યામવાડી પાસે આજુબાજુના વિસ્તારોમાં લોકોનો જનસંપર્ક કરવામાં આવ્યો હતો. લોકોએ મોહનભાઈને આવકારી સ્વાગત કર્યુ હતું. આ લોકજનસંપર્કમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ મેયર જૈમીનભાઈ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, જીતુભાઈ કોઠારી, અનીશભાઈ જોષી, નિલેશ શીલુ, નરેન્દ્ર કુબાવત, પવન કુટલીયા, હરેશભાઈ જોષી, જયોત્સનાબેન હળવદીયા, વર્ષાબેન રાણપરા, વૈશાલીબેન, જયદીપસિંહ પરમાર, પ્રભાબેન વસોયા, કેશુભાઈ સાંઘા, રૂપેશ ચાવડા, સંજય રાઠોડ, હિતેન હિંડેચા, મહેશભાઈ મિયાત્રા, મહેશભાઈ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

(3:41 pm IST)