રાજકોટની જનતા કોઇના દબાવમાં આવ્યા વગર જ ચુકાદો આપશે : અપક્ષ જે. બી. ચૌહાણ
ભાજપ કોંગ્રેસ ભાઇ ભાઇ રમે છે : પ્રજા મારી સાથે, મારી જીત નિશ્ચિત
રાજકોટ તા. ૧૫ : લોકસભા રાજકોટ ૧૦ ના અપક્ષ ઉમેદવાર જે. પી. ચૌહાણે દ્રઢ વિશ્વાસ સાથે પોતાની જીત નિશ્ચીત હોવાનું જણાવેલ છે.
તેઓએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે રાજકોટ જેટલું રંગીલુ છે એટલુ જ સ્વામીની પણ છે. તે કોઇના દાબ દબાણમાં આવે તેમ નથી. કોઇ ગમે તેવા કાવા દાવા કરી લ્યે, પણ રાજકોટ જિલ્લાની જનતા દબાણમાં આવ્યા વગર જ ચુકાદો આપશે.
ભાજપ અને કોંગ્રેસ બન્ને ભાઇ ભાઇ રમી રહ્યુ છે. લોકોને તેમના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મે ક્રમ નં.૬ ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. લોકોના કામો કરવા હું તત્પર રહ્યો છુ. મંડળીઓ બંધ કરાવવા કોઇ ભલે ધમકી આપે પણ હું કોઇને અન્યાય થવા નહી દઉ. તેમ જે. બી. ચૌહાણ (મો.૯૯૯૮૭ ૭૬૧૨૯) એ જણાવેલ.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અપક્ષ ઉમેદવાર જે. બી. ચૌહાણ અને બાજુમાં દાદુભાઇ સોલંકી, રાહુલ મેરીયા, રવીભાઇ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)