૧૭મીએ હુજુર પેલેસમાં ભાજપના ટેકામાં ક્ષત્રિય સંમેલનઃ ભૂપેન્દ્રસિંહજીની ઉપસ્થિતિ
રાજકોટ તા. ૧૫: 'સમસ્ત રાજકોટ ક્ષત્રિય સમાજ સુરાષ્ટ્ર નિર્માણ સંમેલન'ના બેનર હેઠળ આગામી ૧૭મીને બુધવારે સાંજે રણજીતવિલાસ પેલેસ (હુજુર પેલેસ) ખાતે ક્ષત્રિયોનું સંમેલન મળી રહ્યું છે. આ બારામાં રાજકોટના પૂર્વ રાજવી ઠા.સા. શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેમજ નરેન્દ્રભાઇ મોદીને પૂર્ણ બહુમતિથી વિજેતા બનાવી સમર્થ હાથમાં દેશનું સુકાન સોંપવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના સમસ્ત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ સંમેલનમાં ગુજરાત ભાજપના સિનિયર મોસ્ટ અગ્રણી અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ઉપસ્થિત રહેશે. સંમેલન પૂર્ણ થયા બાદ હુજુર પેલેસ ખાતે જ ભોજન સમારંભ યોજાયો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વ ક્ષત્રિય ભાઇઓને અપિલ કરવામાં આવી છે.