લોકોની સલામતી અને ટ્રાફીક સમસ્યાના સુચારૂ ઉકેલ માટેના કરોડોના આઇ-વે પ્રોજેકટ અંગે પ્રશ્નો ઉઠાવતા ગાયત્રીબા વાઘેલા
ઓનલાઇન ટેન્ડરની લીંક, ટેકનીકલ અને પ્રાઇઝ બીડ, કોન્ટ્રેકટ પેઢી હનીવેલ સાથેના એગ્રીમેન્ટ કોપી ૧૭ મુદે બંછાનીધિ પાનીને પત્ર લખી જવાબ માંગ્યો
રાજકોટ, તા. ૧પ : શહેરની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'રાજકોટ-આઇ-વે પ્રોજેકટ'માં કોન્ટ્રાકટ અંગેની તમામ વિગતો માંગતો પત્ર પૂર્વ વિપક્ષી નેતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશનરને પાઠવતા ખળભળાટ મચી ગયો છે.
મ્યુ કમિશનર બંછાનિધી પાનીને પાઠવેલા આ પત્રમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં લોકોની સુરક્ષા-સલામતી-ટ્રાફીક સમસ્યા જેવા અનેક પ્રશ્નોના સુચારૂ ઉકેલ માટેકરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલા એવોર્ડ વિજેતા આઇ-વે પ્રોજેકટની માહિતી તાત્કાલીક મળી રહે તે અંગે યોગ્ય કરવું.
જે મુદ્દા માહિતી મંગાઇ છે, તેમાં (૧) રાજકોટ આઇ-વે પ્રોજેકટનું ટેન્ડર કઇ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ હતું તેની આખી વેબસાઇટની લીંક આપવા ?
(ર) રાજકોટ આઇ-વે પ્રોજેકટ માટે કોણ કન્સલ્ટન્ટ હતું અને તેનેકયાં અનુભવના આધારે કામ અપાયેલ ?
(૩) કન્સલ્ટન્ટના ચીફ ટેકનીકલ ઓફીસર અને સીઇઓ કોણ હતાં અને તેમનો અનુભવ શું હતો ?
(૪) કઇ કઇ કંપનીએ ટેન્ડર ભરેલહતું અને તેની ઓનલાઇન ભરેલ ટેકનીકલ તેમજ પ્રાઇસબીડની નકલ આપો.
(પ) કોન્ટ્રાકટર હનીવેલ કંપની જોડેના એગ્રીમેન્ટની કોપી આપવા
(૬) હનીવેલ કંપનીએ અત્યાર સુધીમૂકેલ બીલની વિગતો .
(૭) બેદરકારી સબબ અત્યાર સુધીમાં હનીવેલને કેટલી પેનલ્ટી કરવામાં આવેલ છે અને કયાં કારણોસર ?
(૮) અત્યાર સુધીમાં કેટલીવાર સી.સી. ટીવી કેમેરા બંધ થયા ? કેટલીવાર કેમેરા/બીજી કઇ આઇટમ રીપ્લેસ થયા ?
(૯) અત્યાર સુધીમાં કેટલીવાર સેન્ટર બંધ થયા ?
(૧૦) અએનપીઆર કેમેરાની એકયુરસી શું છે લ્
(૧૧) બધા સર્ટીફીકેટની નકલ આપો.
(૧ર) કેમેરાની ગુણવત્તાની ચકાસણી કેવી રીતે કરવામાં આવી છે ?
(૧૪) રાજકોટ આઇ-વે પ્રોજેકટ અને કેમેરા માટેની તમામ પ્રેસનોટની નકલ રજૂ કરવી.
પ્રોજેકટના બંન્ને તબક્કાની મુદત કેટલી?
(૧પ) આઇ-વે પ્રોજેકટ માટે કન્સ્લટન્સી સીવીસીની ગાઇડ લાઇન પ્રમાણે દેવામાં આવ્યું છે કેમ ? (૧૬) કન્સ્લટન્સી આપવા માટે કયાં ટેન્ડર કરવામાં આવ્યું હતું અને તેનો પ્રકાર ?
(૧૭) આઇ-વે પ્રોજેકટના સીટીઓ મહેશ ગોહેલ અને આરએમસીના આ પ્રોજકેટના ઇન્ચાર્જ શ્રી સંજય એમ. ગોહેલ (ઇડીપી) અને આર.એમ.સી.ના કમલેશ ગોહેલ વગેરે વચ્ચે કોઇ ફેમીલી સબંધ (બ્લડ રીલેશન) ખરા ?
આમ ઉપરોકત ૧૮ ૧૮ જેટલા મુદાઓની માહિતી ગાયત્રીબાએ મ્યુ. કમિશનર પાસે માંગતા ખળભળાટ મચી ગયો છે. (૮.૧૪)