રાજકોટ
News of Saturday, 16th March 2019

રેલ્વેના પ્રશ્નો અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા રજુઆત

રાજકોટ : પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર એ. કે. ગુપ્તા રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવતા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળ દ્વારા વેપાર ઉદ્યોગને લગતા રેલ પ્રશ્નો સંદર્ભે રજુઆત કરાઇ હતી. ભકિતનગર સ્ટેશને ટર્મીનેશન સ્ટેશન જાહેર કરવા, લક્ષ્મીનગર  નાનામવા રોડ પરનું નાલુ પહોળુ કરવા, લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા, મોરબી રાજકોટ ડેમુ ટ્રેન જુનાગઢ સુધી લંબાવવા સહીતની રજુઆત કરાઇ હતી. આ રજુઆતમાં ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ કાંતીભાઇ જાવીયા, સહમંત્રી સંજયભાઇ મહેતા, ડાયરેકટર હર્ષદભાઇ ખુંટ, સૌરાષ્ટ્ર પેન્જર એસો. પ્રમુખ કિરણભાઇ શુકલ વગેરે સાથે જોડાયા હતા.

(3:57 pm IST)