રાજકોટ
News of Saturday, 16th March 2019

સંસ્થા દ્વારા ફંડફાળો લેવાતો નથી : નામ નોંધણી શરૂ

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિએ ૫૧ દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહલગ્ન

રાજકોટ, તા. ૧૬ : શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ૧૯મી એપ્રિલના હનુમાન જયંતિના પાવન દિવસે ૫૧ દિકરીઓના સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. મવડી ગામ પાછળ પાળ રોડ ઉપર વિવા પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ત્રીજા સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં કરીયાવરમાં દિકરીઓને ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે. મા-બાપ વગરની દિકરીઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. સંસ્થા દ્વારા કોઈપણ જાતનો ફંડફાળો લેવામાં આવતો નથી.

આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં નામ નોંધાવવા તેમજ વધુ વિગતો માટે સર્વશ્રી જયસુખભાઈ ચાંગાણી (મો.૯૮૨૫૧ ૯૨૨૮૦), મહેશભાઈ વેકરીયા (મો.૯૯૦૪૩ ૫૩૨૬૭) અને રમેશભાઈ વેકરીયા (મો.૯૬૨૪૨ ૧૦૧૧૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)