રાજકોટ
News of Saturday, 16th March 2019

'ગ્રાહક જાગો' સંપર્ક ઝુંબેશ

 રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ નિમિતે જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી 'ગ્રાહક જાગો' સંપર્ક ઝુંબેશનો આરંભ કરાયો હતો. આ પહેલા  નિવાસી અધિક કલેકટર શ્રી પંડયાને પ્રચાર પત્રીકા અર્પણ કરવામાં આવી હતી. આ સમયે મંડળના પ્રમુખ યશવંતભાઇ ચોવટીયા, મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, હિંમતભાઇ લાબડીયા, જયવંતભાઇ ચોવટીયા, રાજેશભાઇ ગોંડલીયા, મહેશભાઇ મહેતા, મુકેશભાઇ પારેખ, રસિકભાઇ સોલંકી, દિલીપભાઇ કલોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહકોનું શોષણ થતુ અટકે અને ગ્રાહકોના સર્વાંગી હિતની રક્ષા માટે કેન્દ્ર સરકાર તાકીદના પગલા ભરે તેવી માંગણી ઉઠાવવામાં આવી હતી.

(3:34 pm IST)