મેહુલનગરમાં માનસીક ટેન્શનના લીધે રાજેશભાઇ વસોયાએ ફાંસો ખાઇ જીવ દીધો
રાજકોટ તા ૧૬ : કોઠારિયા રોડ પર મેહુલનગરમાં રહેતા પટેલ આધેડ માનસીક ટેન્શનના કારણે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ મેહુલ નગરશેરી નં. ૯ માં રહેતા રાજેશભાઇ માધવજીભાઇ વસોયા (ઉ.વ.૪૯) એ પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે પરિવારજનોને ખબર પડતા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ના તબીબે તપાસ કરતા રાજેશભાઇનું મૃત્યું નિપજયું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. બાદ પોલીસ કંટ્રોલે ભકિતનગર પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. એ.વી. પીપરોતર તથા રાઇટર રામદેેવસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, મૃતક રાજેશભાઇ છેલ્લા ઘણા સમયથી માનસીક ટેન્શનમાં રહેતા હોઇ, તેથી કંટાળી જઇ તેણે આ પગલું ભર્યાનું ખુલ્યું છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. (૩.૫)