રાજકોટ
News of Saturday, 16th February 2019

આતંકી હુમલાના વિરોધમાં ગુંદાવાડી રોષભેર બંધ : વેપારીઓએ નારા લગાવ્યા

રાજકોટ : જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થતા દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજયના અનેક શહેરોમાં લોકો રસ્તામાં પર ઉતરી આવ્યા છે. કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો કરીને રોષ ઠાલવી રહ્યા છે ત્યારે રાજકોટની અનેક બજારોએ આજે સ્વયંભૂ બંધ પાળીને આક્રોશ વ્યકત કર્યો છે. આજે ગુંદાવાળી વેપારી એસોસિએશન દ્વારા શહીદોને શ્રદ્ઘાંજલિ આપવા સ્વેચ્છાએ બંધ પાળ્યો હતો અને તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. વેપારીઓએ ગુંદાવાડી ચોકમાં એકઠા થઈને ભારે સુત્રોચાર કર્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૨૧.૨૧)

 

(3:31 pm IST)