રાજકોટ
News of Friday, 16th February 2018

જંગલેશ્વર-૨૩ના છેડે નદીમાં યુ.પી.ના બે બાળકો ડૂબ્યાઃ હોસ્પિટલે ખસેડાયા

સાતેક છોકરા રમતાં હતાં: તેમાંથી બે પાણીમાં ખેંચાયાઃ બહાર કાઢી સારવાર માટે ૧૦૮ મારફત લઇ જવાયા

રાજકોટઃ મોડી બપોરે જંગલેશ્વર શેરી નં. ૨૩ના છેડે નદીમાં બે બાળકો ડૂબી જતાં દેકારો મચી ગયો હતો. જો કે બંનેને બહાર કાઢી લઇ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતાં મુળ યુ.પી.ના ભોલાભાઇ નામના વ્યકિતએ ફાયર બ્રિગેડને ફોન કરી બે બાળકો જંગલેશ્વર-૨૩ના છેડે નદીમાં ડૂબી ગયાની જાણ કરી હતી. બંને બાળકો તથા અન્ય પાંચ-છ બાળકો નદી કાંઠે રમતા હતાં ત્યારે બે બાળકો અકસ્માતે પાણીમાં ડૂબ્યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં બંનેને બેભાન હાલતમાં બહાર કાઢી લીધા હતાં. જેમાંથી એકનું જીગરઅલી (ઉ.૭) હોવાનું જાણવા મળે છે. બંને બાળકોનો જીવ બચી ગયો છે.

(4:25 pm IST)