News of Saturday, 16th January 2021
અગાઉના મનદુઃખમાં દોમડા ગામે કાનજીભાઇ પર ધોકાથી હુમલો
ક્રિપાલસિંહ અને ભરતસિંહે માર માર્યાનો આક્ષેપ
રાજકોટ તા. ૧૬: પડધરીના દોમડા (ભાયુના) ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં પણ પગ ભાંગી ગયા હોવાથી હાલ કામ નહિ કરી શકતાં કાનજીભાઇ નથુભાઇ પરમાર (ઉ.વ.૫૨) ગ્રામ પંચાયતની ઓફિસ પાસે હતાં ત્યારે ગામના ક્રિપાલસિંહ અને ભરતસિંહે ધોકાથી માર મારી માથા-શરીરે ઇજાઓ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
કાનજીભાઇના સગાના કહેવા મુજબ ચારેક વર્ષ પહેલા પાન-બીડીના પૈસાની ઉઘરાણી મામલે કાનજીભાઇ પર હુમલો થયો હતો. તે વખતે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. ત્યારથી ચાલતા મનદુઃખને કારણે ફરીથી હુમલો થયાની શકયતા છે. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:57 pm IST)