રાજકોટ
News of Friday, 15th November 2019

મારા વિરૂધ્ધ ફરિયાદ કેમ કરો છો? કહી રેશ્માને સંજયએ માર માર્યો

બેડીપરાની યુવતિ રામનાથપરાના પુલ પાસે હતી ત્યારે ડખ્ખો

રાજકોટ તા. ૧૫: બેડીપરા પાંજરાપોળ પાસે રાધેશ્યામ ડેરી નજીક રહેતી રેશ્માબેન ફિરોઝભાઇ શાહમદાર (ઉ.૨૬) નામની પરિણીતાને સાંજે સાતેક વાગ્યે રામનાથપરા સ્મશાન નજીક પુલ પાસે હતી ત્યારે સંજય ધીરૂભાઇ નામના શખ્સે આવી તું અને તારો પતિ કેમ મારા વિરૂધ્ધ ફરિયાદ કરો છો? તેમ કહી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ તેની ફરિયાદ પરથી કાર્યવાહી કરી હતી.

૮૦ ફુટ રોડ પર સનીને અજાણ્યાએ પાઇપ ફટકાર્યો

૮૦ ફુટ રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં સની પ્રવિણભાઇ ચોૈહાણ (ઉ.૨૪)ને ઘર નજીક હતો ત્યારે અજાણ્યા શખ્સે પાઇપ ફટકારી દેતાં સારવાર માટે દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

(12:58 pm IST)