ક્રાંતિ માનવ ટ્રસ્ટની નવદુર્ગા ગરબીની કુવાડવા રોડ પર જમાવટ
રાજકોટ :.. શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી નવદુર્ગા ગરબી મંડળની કુવાડવા રોડ, રણછોડદાસજી આશ્રમ પાસે, એલ. પી. પાર્ક સામેના ૮૦ ફુટના રોડ પર જમાવટ થઇ રહી છે. રોશનીની ઝાકમઝોળ વચ્ચે કોરોનાની ગાઇડ લાઇન સાથે ૩ અલગ અલગ રાસની બાળાઓ ખોડીયાર માતાજીનો રાસ, ખંજરી રાસ, ટીપણી રાસ, સાથિયા રાસ, તલવાર રાસ, નગરમે જોગી રાસ વગેરે રજૂ કરી વાહવાહ મેળવે છે. તેમ પ્રમુખ સંજય હિરાણી જણાવે છે. આયોજનને સફળ બનાવવા માટે સંજય હિરાણી, જેન્તીભાઇ લીંબાસીયા, જયેશ વિરડીયા, ચંદ્રેશ ડોબરીયા, રજની મોલીયા, જગદીશ અકબરી, મહેશ વેકરીયા, શામજીભાઇ કાળોતરા, દીલીપભાઇ, ઘેલાભાઇ ટોપીયા, અશોકભાઇ ટોપીયા, રાજૂભાઇ ઠુંમર, નીલેષ મુંગરા, હરેશ ડોબરીયા, કિશોરભાઇ ડાંગરીયા, મનસુખભાઇ ચીખાયા, ભાવેશભાઇ, વિજયભાઇ વોરા, સુરેશભાઇ રંગાણી, કાંતીભાઇ રંગાણી, છગનબાપા લીંબાસીયા, નીતિનભાઇ પ્રજાપતી, હરેશભાઇ ભાંગીયા, નીલેષભાઇ રંગાણી, કિશોરભાઇ રંગાણી, શૈલેષ મણીયાર, વિનુભાઇ ધામેલીયા, વિજય નાગર, ભગવાનજી વેકરીયા, ભૂતભાઇ છગનભાઇ પરસાણા, પરેશ પીપળીયા, અશ્વિન સંખાવરા, મનસુખભાઇ વિરાણી, બીપીનભાઇ હિરાણી, પ્રવિણભાઇ પાદરીયા, અરૂણભાઇ બારોટ, રઘુભાઇ બુણાગરીયા, હર્ષદભાઇ પીપળીયા, પરસોતમભાઇ કોટડીયા, ભરતભાઇ રંગાણી વિગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.