રાજકોટ
News of Friday, 15th October 2021

રાજકોટ જેલમાંથી ફરાર થયેલ હત્યાનો આરોપી સામખિયાળીથી ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫:રાજકોટ જેલમાં કેદ અને ત્રણ મહિનાની પેરોલ બાદ ફરાર થઈ જનાર હત્યાનો આરોપી સુરેશ ઝીણા દેવીપૂજક કચ્છના સામખિયાળી ગામે ઝડપાઈ ગયો હતો.

બાતમીના આધારે સામખિયાળી પોલીસે ગોઠવેલ વોચ દરમ્યાન ઝડપાયેલ કેદી સુરેશ ઝીણા દેવીપૂજક મૂળ ગાંધીધામનો છે. તેની સામે ગાંધીધામ મધ્યે પાંચ વર્ષ પૂર્વે ૨૦૧૬માં થયેલ હત્યાનો ગુનો હોઈ ગાંધીધામ કોર્ટે આરોપી સુરેશ ઝીણા દેવીપૂજકને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. હાલે આરોપી સુરેશ રાજકોટ જેલમાં સજા કાપી રહ્યો હતો અને પેરોલ બાદ ફરાર હતો.

(10:41 am IST)