રાજકોટ
News of Wednesday, 15th September 2021

મુખ્‍યમંત્રીએ કલેકટર કચેરીમાં તમામ ડીપાર્ટમેન્‍ટને બોલાવ્‍યાઃ નુકસાની-જાનહાનીની વિગતો મેળવી

રાજકોટ : રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદ-પુરને કારણે લાખોનું નુકશાન થયું છે, તમામ વિગતો મેળવવા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર રાજકોટ આવ્‍યા હતા, અને ગઇકાલે સાંજે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ કલેકટર-પંચાયત-પોલીસ-મ્‍યુ. કોર્પોરેશન, આર એન્‍ડ બી, પીજીવીસીએલ, એસ.ટી., વનખાતુ સહિત તમામ ડીપાર્ટમેન્‍ટને બોલાવ્‍યા હતા, નુકસાની-જાનહાની-ખેતરોમાં ધોવાણ, પશુઓ તણાયા અને ગામડાઓમાં અંધારપટ સહિત તમામ વિગતો મેળવી હતી, તસ્‍વીરમાં બેઠક દરમિયાન મુખ્‍યમંત્રી એક લાક્ષણીક અદામાં તો બીજી તસ્‍વીરમાં સમીક્ષા બેઠક નજરે પડે છે.

 

(11:06 am IST)