રાજકોટ
News of Sunday, 15th September 2019

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાની ઐતિહાસિક ઘડી : રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ

લોકઉત્સવમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી,અમુદાન ગઢવી અને જીતુભાઇ દ્વારકાવાળા જૂનાગઢમાં : કિંજલ દવે,બંકિમ પાઠક ,ધનરાજ ગઢવી,અરવિંદ બારોટ અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદમાં : કચ્છમાં ગીતા રબારી અને ઓસમાન મીર ,સાંઈરામ દવે અને પંકજ ભટ્ટ રાજકોટમાં જમાવટ કરશે

 અમદાવાદ ; ગુજરાત ની જીવાદોરી સરદાર સરોવર નર્મદા  ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર ભરાવા ના ઐતિહાસિક અવસરે ૧૭ સપ્ટેમ્બર મંગળવારે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ લોક ઉમંગ ઉત્સવ તરીકે ઉજવાશે

. રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવ માં  લોક કલાકારો પ્રખ્યાત ગાયકો  ગુજરાતી ફિલ્મ  કલાકારો લોક સાહિત્યના અગ્રણી કલાકારો  પણ સહભાગી થઈ ને નર્મદા મૈયા ના જળ વધામણાં કરતા ગીતો ની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે

*જે કલાકારો આ ઉમંગ ઉત્સવ માં જોડાવાના છે તેમાં મુખ્યત્વે પદ્મશ્રી ભીખુદાન  ગઢવી  અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકા વાળા જૂનાગઢ મા જયારે કિંજલ દવે  બંકિમ પાઠક ધનરાજ ગઢવી અરવિંદ બારોટ અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદ માં અને ઓસમાણ મીર સાંઈરામ દવે ને પંકજ ભટ્ટ રાજકોટ માં જયારે ગીતા રબારી કચ્છ માં અને વિરાજ બારોટ પાટણ અને જીગ્નેશ કવિરાજ મહેસાણામાં  જિલ્લા કક્ષા ના  કાર્યક્રમ માં  જોડાવાના છે

(8:59 pm IST)