રાજકોટ
News of Sunday, 15th September 2019

સોમનાથ સોસાયટીમાં જસ્મીન જોટાણીયાને સોનાના બિસ્કીટ વેંચવાના ડખ્ખામાં

ત્રણ શખ્સોએ ધોકા-સાણસીથી ફટકાર્યો

રાજકોટઃ ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર સોમનાથ-૩ શેરી નં. ૧૧માં રહેતાં જસ્મીન હિતેષભાઇ જોટાણીયા (ઉ.૨૪)ને મીરાનગર-૪માં કેતનભાઇ મોરબીયાના ઘર પાસે હતો ત્યારે અજયસિંહ ચુડાસમા, કનુ ડાંગર તથા કેતન મોરબીયાએ પ્લાસ્ટીકના ધોકાથી માર મારતાં ઇજાઓ થતાં તેમજ સાણસીથી માથામાં માર મારતાં સારવાર લેવી પડી હતી.

જસ્મીનના કહેવા મુજબ પોતે મિત્ર કેતન મોરબીયાના ઘર પાસે હતો ત્યારે બીજા મિત્રો અજયસિંહ, કનુ ડાંગર કેતન સાથે સોનાનું બિસ્કીટ વેંચવા બાબતે વાત કરતાં હતાં. કેતનના પત્નિને બિસ્કીટ વેંચવા અપાયું હોઇ તે અંગેની વાતમાં જસ્મીને મેં તો બિસ્કીટ જોયું નથી...તેમ કહેતાં અજયસિંહ, કનુ અને કેતને હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાતાં પીએેસઆઇ એચ. જે. બરવાડીયાએ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)