News of Sunday, 15th September 2019
રસ્તા રીપેરીંગ માટે શાસકો-મ્યુ. કમિશ્નરને સદબુધ્ધિ આપો
શહેરના જર્જરીત રસ્તાઓનાં રીપેરીંગમાં બેદરકારી દાખવનાર મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ અને ભાજપના શાસકોને સદબુધ્ધિ મળે તે માટે કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો-કોર્પોરેટરોએ શહેરના તમામ વોર્ડમાં હવનના કાર્યક્રમો યોજયા હતા. તે વખત તસ્વીરોમાં હવન કરી રહેલા નિર્મળ મારૂ વગેરે દર્શાય છે. અન્ય તસ્વીરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની અટકાયત કરાઇ તે નજરે પડે છે. તેમજ ત્રિકોણબાગ ખાતે પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતની ટીંગાટોળી કરીને અટકાયત કરાઇ તે નજરે પડે છે. તેમજ રિતેશ ચોવટીયાની અટકાયત થયેલ તે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:56 pm IST)