રાજકોટ
News of Saturday, 15th September 2018

પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યે ભાવિકોએ આત્મશુદ્ધિ કરી મિચ્છામિ દુક્કડં કર્યા

રાજકોટઃ શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ૧૪ વર્ષે ચાતુર્માસ બિરાજીત પૂ.શ્રી ધીરગુરૂદેવ તથા પૂ.નયનાજી મ.સ.,પૂ.સુનંદાજી મ.સ.ના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે ૧૦૮ મોટી તપસ્યા થયેલ. ઉપાશ્રય નિર્માણમાં શ્રીમતી અમિતા જગદીશ ઝોંસાએ એક ઉપાશ્રયનો લાભ લીધેલ. બપોરે ૩ થી ૫ કલાકે આલોચના આત્માશુધ્ધિ કર્યા બાદ સાતાકારી પાટનો લાભ ભાવિકોએ લીધેલ. સામૂહિક પારણા અને બહુમાન શકુંતલાબેન વિજયકુમાર મહેતા તરફથી તેમજ નૂતનીકરણમાં દાતાઓએ દાનની વર્ષા કરેલ. જોરાવરનગરમાં વિજય ભુરાલાલ શાહે વૈયાવચ્ચ ભવનની ભાવના ભાવી હતી.  કાલે તા.૧૬ થી પ્રવચન ચાલુ થશે.(૩૦.૮)

(3:49 pm IST)