News of Saturday, 15th September 2018
આર્ટ ગેલેરી વાર્લી પેઇન્ટીંગ કલા વર્કશોપનું સમાપન
રાજકોટઃ રેશ્માબેન સોલંકી કલા સર્જન સંસ્થાનાં પ્રમુખ તથા સરગમ કલા મંદિરનાં ઉપપમુખ દ્વારા ૩-૩ દિવસનાં બે અલગ અલગ વર્કશોપનું આયોજન આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું. વર્કશોપનાં સમાપન સમારંભમાં વ્રજ ગ્રુપનાં કો-ઓર્ડીનેટર અને રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ તથા અનીલભાઇ વણઝારા તેમજ ભાવનાબેન ધનેશાનાં હસ્તે તમામને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તે સમયની તસ્વીર નજરે પડે છે. (૭.૩૭)
(3:47 pm IST)