જંકશન પ્લોટમાં આજે સાંજે શ્રીનાથજીની ઝાંખી- કાલે ભુલકાઓ માટે વેશભુષા
રાજકોટઃ સિન્ધી સોશ્યલ યુવા ગ્રુપ રિધ્ધી સિધ્ધી ધામ જંકશન પ્લોટ મેઈન રોડ ખાતે આયોજીત ગણપતિ મહોત્સવમાં ગઈ કાલે સીંધી સમાજના અગ્રણી અને આજકાલ દૈનિકપત્રના મોભીશ્રી ધનરાજભાઈ જેઠાણી તથા સમાજના પ્રમુખ લીલારામભાઈ પોપટાણી, આત્મરામભાઈ બેલાણી, બી.બી.ગોગીયા, વિદ્યયાબેન ગોગીયા, દ્રપદીબેન બેલાણી તેમજ કુમારભાઈ વાસુદેવાણી તેમની ટીમે આરતીનો લાભ લીધો હતો.
આજે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ જે દાદાના દરબારમાં જંકશન પ્લોટ મેઈન રોડ ખાતે તેમજ રવિવારે નાના બાળકો માટે વેશભુષાનું આયોજન કરેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સુનીલ ટેકવાણી, ઉપપ્રમુખ હેરશભાઈ વાધવાણી, મંત્રી રાજુભાઈ દરીયાનાણી, ખજાનચી રાજુભાઈ ઉધાણી, સહમંત્રી પરેશભાઈ મુલવાણી, સહખજાનચી જીતુભાઈ ગોપલાણી, શંકરભાઈ વસીયાણી, મહેન્દ્રભાઈ વાઘવાણી, હરેશભાઈ ભારાણી, રજનીશ ટોપનદાસાણી, રાજેશભાઈ પોપટાણી, સોનુભાઈ આહુજા, ચંદ્રેશભાઈ ટેકવાણી, ચંદ્રેશ લોંગાણી, ખેમચંદભાઈ થાવરાણી, મહેશભાઈ વધીયા, જીતુભાઈ રોય, રમેશભાઈ મામતાણી, વિજયભાઈ કુકરેજા, ગૌતમભાઈ આસુદાણી, સંતોષભાઈ લાખાણી, પ્રેમભાઈ તારવાણી, શંકરભાઈ ગ્યાનચંદાણી, મહેશભાઈ છાબરીયા, વિનોદભાઈ મનવાણી, મનીષભાઈ મોહીનાણી, અનુપભાઈ ટેકવાણી, અંકિતભાઈ રોહેરા, રાજુભાઈ મેઘાણી, અશોકભાઈ દિવાન, મનીષભાઈ કેશવાણી, મોહનભાઈ ટેવાણી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.