રાજકોટ
News of Friday, 14th September 2018

માટીના ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો વર્કશોપ

રાજકોટઃ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં માટીમાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિનો નિઃશુલ્ક વર્કશોપ યોજાયેલ તેમાં પર્યાવરણ પ્રેમી અને વીરાણી શાળાના નિવૃત આર્ટ શિક્ષક શીલાબેન રાઠોડે તજજ્ઞ તરીકે સેવા આપેલ. શાળાના ધો.૯ થી ૧૨ના કુલ ૪૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને જળ પ્રદુષણ દૂર કરવાનો સંકલ્પ કર્યો. સાથોસાથ માટીના ગણેશ મૂર્તિમાં સવનનાં બી નાંખીને કૃતિ તૈયાર કરી. આ તકે પર્યાવરણને બચાવવાનો સંદેશ સમાજમાં વહેતો મૂકયો હતો.(૩૦.૮)

(4:05 pm IST)