રાજકોટ
News of Friday, 14th September 2018

માધવ પાર્કના મહેશભાઇ સાવલીયાનું બીમારીના કારણે બેભાન થઇ જતા મોત

ઠક્કર બાપા હરીજનવાસના રતનબેન વાઘેલાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૪ :.. મવડી પાસે માધવ પાર્કમાં રહેતા યુવાનનું બીમારીના કારણે બેભાન થઇ જતા મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ માધવ પાર્ક-૩, શેરી નં. ૧ પાસે રહેતા મહેશભાઇ પ્રેમજીભાઇ સાવલીયા (ઉ.૪પ) રાત્રે તેના ઘરે હતા ત્યારે બીમારી સબબ તેની તબીયત લથડતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.  આ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં ઠક્કર બાપા હરીજનવાસમાં રહેતા રતનબેન બાબુભાઇ વાઘેલા (ઉ.૬૦) રાત્રે પોતાના ઘરે હતાં. ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. (પ-૧૪)

(4:02 pm IST)