રાજકોટ
News of Thursday, 15th August 2019

ઝાડા-ઉલ્ટી થતાં અને બેભાન થઇ જતાં ત્રણના મોત

રાજકોટઃ ગાંધીગ્રામ ભારતીનગર ઉદય હોલ પાસે નિધી સ્કૂલની બાજુમાં રહેતાં તરૂલત્તાબેન જેન્તીભાઇ કાલાવડીયા (ઉ.૬૦) નામના વણિક વૃધ્ધાને બુધવારે ઝાડા ઉલ્ટી થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં કરણપરા-૪/૧૭ના ખુણે રહેતાં વેલજીભાઇ રામજીભાઇ ફુરીયા (જૈન વણિક) (ઉ.૭૭) નામના વૃધ્ધ ઘરે ગુરૂવારે સવારે ચારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. ત્રીજા બનાવમાં રેલનગર-૩માં રહેતાં મહેશભાઇ ગોવાભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૪૫) વોકહાર્ટ હોસ્પિટલમાં પ્યુનની નોકરી પર હોઇ બુધ-ગુરૂની રાતે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું.

(11:55 am IST)