રાજકોટ
News of Thursday, 15th August 2019

એસ.ટી. બસ સ્ટેન્ડ-ગંદકીથી ખદબદે છેઃ તંત્ર જાગે

રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાનમાં આવેલ મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ વરસાદી પાણી, ગારો, કીચડ અને ભીના કચરાથી ખદબદી રહ્યુ છે. મુસાફરો આવી ગંદકીમાં હેરાન થઈ રહ્યા છે જે તસ્વીરમાં દર્શાય છે. આ બાબતે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ એસ.ટી.ને વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી બસ સ્ટેન્ડની ગંદકી દૂર કરવા માંગ ઉઠાવી છે.

(4:24 pm IST)