રાજકોટ
News of Wednesday, 15th August 2018

રાજકોટની આર.ડી.ગારડી કોલેજ પાસે ૨ કાર વચ્‍ચે ટક્કરઃ સ્‍મિત વરસાણી-જેન્‍સી વાટલીયાના મોતઃ ૨ ગંભીર

રાજકોટઃ રાજકોટ-કાલાવડ વચ્‍ચે આણંદપર,છાપરા નજીક આવેલ ગાર્ડી કોલેજ પાસે બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા ર વ્‍યક્‍તિના મોતથી અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે ૪ વાગ્‍યા આસપાસ હોન્‍ડા સીટીકાર (નં.જી.જે.૦૧-આરઇ-૫૯૨૩) અને અન્‍ય કાર (જી.જે.૦૩ જેઆર ૭૨૩૪) વચ્‍ચે  અકસ્‍માત સર્જાયો હતો.

આ અકસ્‍માતમાં સુરતના પુણાગામમા રહેતા જેન્‍સીબેન મનસુખભાઇ વાટલીયા (ઉ.વ.૧૯) અને જામકંડોરણાના કાનાવડાળાના સ્‍મિત પ્રકાશભાઇ વરસાણી (ઉ.૧૮-પટેલ)ના ઘટના સ્‍થળે મોત નીપજયા હતા જયારે બે વ્‍યક્‍તિને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્‍પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્‍માતમાં મોતને ભેટેલ સ્‍મીત વરસાણી એન્‍જીનીયરીંગનો અભ્‍યાસ કરે છે અને એક ભાઇ-બહેનમા નાનો હતો જયારે જેન્‍સી વાટલીયા એક ભાઇ અને બહેનમા મોટી હતી. તેના પિતા રત્‍ન કલાકાર છે.

આ અકસ્‍માતમાં સુરતના પુણામાં રહેતા પૂજા દેવરાજભાઇ ડોબરીયા (ઉવ.૨૨) અને પિયુષ શૈલેષભાઇ વરસાણી (ઉ.વ.૩૦)ને ગંભીર હાલતમાં રાજકોટ વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડેલ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ.એમ.સોલંકી, એએસઆઇ- આર.એચ.કોડીયાતર દીનેશભાઇ શીવભદ્રસિંહે પ્રાથમીક કાગળો કરી લોધીકા મોકળ્‍યા છે. (૭.૨૧)

 

(8:26 pm IST)